Friday 6 September 2013

બોલિવૂડનો નવા પ્રદેશ અને સંસ્કૃતિનો નવો એંગલ

      
દિગ્દર્શકોનો ભારતના જુદા જુદા પ્રદેશ અને સંસ્કૃતિને આજના બદલાતા સમયના સંદર્ભમાં ફિલ્મના દર્શકોની સામે રજૂ કરવાનો નવો એંગલ છે.  


    



આજના સમયમાં વ્યાવસીઈક સફળતા એ દરેક ફિલ્મના નિર્માણનો અંતિમ હેતુ હોય છે. યેનકેન પ્રકારે ફિલ્મને સફળ કરવાના દરેક દિગ્દર્શકોના પોતાના અલગ  અલગ ફંડા હોય છે. કોઈકને સ્ટાર કાસ્ટ મહત્ત્વની લાગે છે તો કોઈકને બજેટ, કેટલાક નવોદિતો દ્વારા દર્શકોને આકર્ષવાનો પ્રયત્ન કરે છે તો બીજાંઓને ફિલ્મની સ્ટોરી મહત્ત્વની લાગે છે. આ બધા તત્ત્વો ભલે મહત્વના હોય પણ ફિલ્મની મૂળ પ્રકૃતિ વગર તેને સફળ બનાવવાનો વિચાર અધૂરો છે. આજ સુધી ફિલ્મોને સુપરહિટ કરવા દિગ્દર્શકો અવનવા પ્રયોગો સાથે દર્શકોની સામે આવ્યા છે, પણ ફિલ્મમાં પરોવાયેલી કળા અને નવીનતા જ હંમેશાં નિર્ણાયક રહી છે. લાંબા સમયથી એક સ્માર્ટ સ્ટાઈલિશ હીરો, દેખાવડી હિરોઈન, તેમનો પ્રેમ અને વિલન એ બોલિવૂડના પડદા પર કબજો કરી રાખ્યો છે. બોલિવૂડના દિગ્દર્શકોને એજ એકડો ઘુંટવાની આદત રહી છે, પણ બોલિવૂડના કેટલાક દિગ્દર્શકો આજે આઉટ ઓફ બોક્સ કોનસેપ્ટની સાથે એક નવો જ એંગલ અજમાવી રહ્યા છે. પહેલાં બોલિવૂડના ફિલ્મોની કથાવસ્તુ શહેરી પરિવેશના હાઈક્લાસ સોસાયટીના જીવનની આજુબાજુ ગુંથાયેલી રહેતી. શહેરના વૈભવશાળી પિતાનો હેન્ડસમ દીકરો, પોશ બંગ્લોઝ, લગ્ઝરિયુઝ ગાડીઓ, શહેરનો મોટો માફિયા, બોલ્ડ અને ગોરીચિટ્ટી શહેરી વાતાવરણમાં ઉછરેલી મોડર્ન હિરોઈન, આમ એકંદરે બોલિવૂડની ફિલ્મો શહેર, હાઈક્લાસ સોસાયટી, સ્ટાઈલિશ હીરો અને હિરોઈનની આગળ પાછળ જ ફરતી રહે છે, પણ પાછલા કેટલાક વર્ષોથી બોલિવૂડની ફિલ્મોનો કેમેરો હવે ભારતના જુદા જુદા પ્રદેશની ગલીઓ ફંફાળતો ત્યાંના મોજીલા લોકોનું જીવન, તેમની સંસ્કૃતિ, ભાષા અને તેમની જટિલ જીવનશૈલીમાંથી આકાર લેતા જીવનના જુદા જુદા રંગોને ફિલ્મના પડદા પર ઊતારી રહ્યો છે.
      ભારતના જુદા જુદા પ્રદેશ, ભાષા અને સંસ્કૃતિની પૃષ્ઠભૂમિ પર ત્યાંના લોકોનું જીવન ચિતરતી આવી જ ફિલ્મોએ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરના ફિલ્મ એવોર્ડ્સમાં તેમનો ડંકો વગાડ્યો છે, અને વ્યાપક રીતે વખણાયેલી આ ફિલ્મોએ બોક્સ ઓફિસ પર પણ તેમનો જાદુ ચલાવ્યો છે. આજ ટ્રેન્ડને ફોલો કરતી ફિલ્મોમાં સિંઘમ, આરક્ષણ, સાહેબ બીવી ઔર ગેન્ગસ્ટર, ગેંગ્સ ઓફ વાસેપુર, કહાની, પાનસિંઘ તોમર, ઈશકઝાદે, ચક્રવ્યૂહ અને સનઓફ સરદાર જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે તેમજ હાલમાં જ આવેલી કાઈપો છે, મટરુ કી બીજલી કા મંડોલા, રાંઝણા, ઈસક, લૂંટેરા અને ચેન્નઈ એક્સપ્રેસ જેવી ફિલ્મોમાં પણ ભારતના જુદા જુદા પ્રદેશો અને સંસ્કૃતિની પૃષ્ઠભૂમિ લેવાથી ફિલ્મો ક્યારેક બનારસની લોકપરંપરા જેવી બહુરંગી તો ક્યારેક બંગાળના સાહિત્ય જેવી ક્લાસિક અને દક્ષિણ ભારતની પરંપરાગત જીવનશૈલીના જુદા જુદા ધાગાઓને ખોલતી લાગે છે.            
       રોહિત શેટ્ટી દિગ્દર્શિત બ્લોકબસ્ટર ફિલ્મ ચેન્નઈ એક્સપ્રેસમાં પણ દક્ષિણ ભારતની પૃષ્ઠભૂમિ લેવામાં આવી છે. ફિલ્મના નામથી જ આપણને દક્ષિણ ભારતના પ્રદેશનો ખ્યાલ આવે છે. ફિલ્મમાં  દીપિકા પદુકોણે ભજવેલું મીનમ્મા એટલે કે મીનાલોચની અઝઘુસ્સુન્દરમ નામની તામિલ યુવતીનું પાત્ર, તેની તામિલ બોલી, દક્ષિણ ભારતીય ઉચ્ચારોમાં તેનો  હિન્દી શબ્દોનો ઉચ્ચાર, ફિલ્મમાં હીરો એટલે કે શાહરૂખ બદલ પ્રેમ વ્યક્ત કરતા દીપિકાના દાક્ષિણાત્ય પદ્ધતીના હાવભાવ અને તેની અભિવ્યક્તિ, દીપિકાએ પહેરેલી દક્ષિણ ભારતીય કાંજીવરમ સાડી, દક્ષિણમાં આવતો દૂધસાગરનો ધોધ, ત્યાંનું નૈસર્ગિક સૌંદર્ય, મીન્નમાંના પિતા તેમજ ફિલ્મનો ખલનાયક. આ બધા વચ્ચે ભિન્ન સંસ્કૃતિના શાહરૂખ અને દીપિકા વચ્ચે આકર લેતો પ્રેમ દર્શકોના મનમાં એક આગવું આકર્ષણ જન્માવે છે અને દક્ષિણ ભારતીય પ્રદેશનું સૌંદર્ય અને સંસ્કૃતિને દર્શકોની સમક્ષ રજૂ કરે છે.   
     બનારસની ગલીઓ અને ત્યાંના ઘાટ હજારો વર્ષોથી લોકોના કુતૂહલ અને શ્રદ્ધાનો વિષય રહ્યા છે. ગંગાના પ્રવાહ સાથે જોડાએલી ત્યાંની સંસ્કૃતિ, ધાર્મિકતા, બોલી, ભાવુકતા, પ્રેમ, તે પ્રદેશની માટીથી જોડાયેલી જીવનશૈલી ફિલ્મ રાંઝણામાં જોવા મળે છે. આ ફિલ્મ આમ તો બનારસની ગલીઓમાં બે જુદા જુદા ધર્મોમાં ઉછરેલા યુવક અને યુવતીની પ્રેમ કથા વીશે છે, પણ ફિલ્મમાં આવતા બનારસના ઘાટ, ઘાટના મંદિરોમાં થતી સાંજની સામુહિક આરતી,  ફિલ્મમાં આવતો રામલીલાનો ઉત્સવ, ધનુષે ભજવેલું બનારસના ભોળા યુવકનું પાત્ર, દર્શકોને બનારસના પ્રેમમાં પાડે એવું છે. ફિલ્મ રાંઝણામાં બનારસની ગલીઓમાં ખીલતા પ્રેમ કથા પર ત્યાંના પ્રદેશ અને સંસ્કૃતિનો રંગ ચઢેલો દેખાય છે.
     સુજોય ઘોષની ફિલ્મ કહાની સાહિત્ય સમ્રાટ રવીન્દ્રનાથ ટાગોરની ભૂમિ પશ્ચિમ બંગાળના શહેર કોલકાત્તામાં ફિલ્માવવામાં આવી હતી. રવીન્દ્રનાથ ટાગોર લેખિત બંગાળી સંસ્કૃતિનું ધ્યેય ગીત એકલા ચાલો રેની મધ્યવર્તી કલ્પનાથી પ્રેરિત આ ફિલ્મમાં ઉમ્મીદ અને આશાની કિરણ શોધતી એક સગર્ભા મહિલા તેના પતિના હત્યારાની શોધ કરતી બતાવવામાં આવી છે. વિદ્યા બાલને ફિલ્મમાં વિદ્યા બાગચી નામની બંગાળી મહિલાના પાત્રનો અભિનય કર્યો છે. મેટ્રોપોલિટન શહેર કોલકાત્તાની ગીચ ગલીઓ અને રસ્તાઓ પર ભટકતી વિદ્યા બાલન, ત્યાંના પોલીસ સ્ટેશન તેમજ કોલકાત્તાના પાત્રોની બોલીમાં આવતો બંગાળી લહેકો, પરમબ્રત બેનર્જીએ ભજવેલું પોલીસ ઈન્સ્પેક્ટરનું પાત્ર, ફિલ્મમાં આવતો પશ્ચિમ બંગાળનો દૂર્ગા પૂજાનો ઉત્સવ, પાત્રોના પોશાક આ બધું ફિલ્મના દર્શકોનો પશ્ચિમ બંગાળની સંસ્કૃતિ અને પ્રદેશ સાથે મનોરંજક રીતે પરિચય કરાવે છે.
     અનુરાગ કશ્યપ દિગ્દર્શિત ફિલ્મ ગેંગ્સ ઓફ વાસેપુરના બંને ભાગોમાં ઝારખંડના ધનબાદ જીલ્લાના વાસેપુર ગામના કોલ માફિયાઓ વચ્ચેના સંઘર્ષની કથા છે. ફિલ્મમાં ઝારખંડનો પ્રદેશ બતાવવામાં આવ્યો છે. ફિલ્મમાં આવતા પાત્રોના નામો, લોક ગીતના સુરે ગવાએલા ઓ વુમનિયા જેવા ગીતો, ગામમાં ખુલ્લેઆમ વેચાતા હથિયારો તેમજ રાજનેતાઓનો ભ્રષ્ટાચાર, જુદ જુદા સમાજ અને ધર્મના લોકોનો સહ સબંધ, ફિલ્મમાં આવતો લગ્ન સમારંભ, ફિલ્મના આ બધા ધાગા દ્વારા દર્શક ધનબાદ પ્રદેશના ઈતિહાસ અને ત્યાની જીવનશૈલીથી જોડાય છે. મનોજ બાજપાઈએ ભજવેલું સરદાર ખાનનું દબંગ માફિયાનું પાત્ર  તેમજ રિચા ચઢ્ઢાએ ભજવેલું કઠોર હ્રદયની સ્ત્રીનું પાત્ર, ફિલ્મના બીજા ભાગમાં નવાઝુદ્દીને ભજવેલું માફિયા ફૈઝલ ખાનનું પાત્ર અને હુમા અને તેના પ્રણયથી ઉકેલાતી ગામની યુવા વર્ગની પ્રેમ કલ્પના તેમજ ફિલ્મના બંને ભાગોમાં આવતો ખલનાયક રામાધીર સિંઘ અને ફિલ્મમાં આવતા બીજા પાત્રોને આપણે નિહાળીએ તો આપણને તેમના સ્વભાવ ભાષા અને વ્યક્તિત્વમાં ઝારખંડની વાસ્તવિકતા, ભાષા, પ્રદેશની પરંપરા જોવા મળે છે. જે આ પહેલા આટલી અચૂક રીતે બોલિવૂડની કોઈ ફિલ્મમાં લેવાઈ નથી. ફિલ્મમાં આવતા પારિવારિક સંવાદો, પ્રેમ અભિવ્યક્તીની રીત, પરિવર્તનથી જન્મેલા આસપાસના પરિવેશની જટિલ વાસ્તવિકતા અને જાણ, ફિલ્મમાંથી ઉદ્ભવતું મનોરંજન, હાસ્ય, પ્રેમ અને આનંદને તે પ્રદેશની માટીની સુગંધ છે. જે દર્શકોના દિલોને સ્પર્શી ગઈ હતી.
     આમ સિંઘમ જેવી ફિલ્મમાં કોંકણના મહારાષ્ટ્રની સંસ્કૃતિમાં ઉછરેલા નાયકની કથા મનોરંજક રીતે પીરસવામાં આવી છે તો પાનસિંઘ તોમર ફિલ્મમાં મધ્યપ્રદેશના મુરૈના જીલ્લાના સિપાહીની કથા છે. ફિલ્મમાં ત્યાની પ્રાદેશીક બોલીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એક સમયે આંતરરાષ્ટ્રીય ખેલાડી તરીકે દેશનું નામ રોશન કરનાર પાન સિંઘને પારિવારિક ઝઘડાની કારણે તેની જમીન છીનવાઈ જતાં પોતાના હક માટે મજબૂરીથી હથિયાર ઉપાડવા પડે છે અને સરકાર તેને ડાકુ ઘોષિત કરીને મારી નાખે છે. આ ફિલ્મમાં મધ્ય પ્રદેશના પાનસિંઘ તોમરની કથાની સાથો સાથ ત્યાંનું સામાજિક જીવન, પારિવારિક સંઘર્ષ અને તેથી સર્જાતી સામાન્ય માણસની શોકાન્તિકા દર્શકોને ગમગીન કરી નાખે છે. ચેતન ભગતની નોવેલ 3 મિસ્ટેક્સ ઓફ માય લાઈફ પર આધારિત ફિલ્મ કાઈપો છેમાં પણ ગુજરાતના અમદાવાદમાં આકાર લેતી ત્રણ મિત્રોની કથા દર્શાવવામાં આવી છે. આ ફિલ્મમાં ગુજરાતના વર્તમાન સંદર્ભો સાથે જોડાયેલા ત્રણ યુવકોની માનસિકતા અને તેથી ઘટતી જુદી જુદી ઘટનાઓને કલાત્મક રીતે દર્શાવવામાં આવ્યું હતું, ફિલ્મમાં ગુજરાતના રાજકારણ અને ઈતિહાસની ધટનાના સંદર્ભો, ગુજરાતી સંવાદો, અહીંની માનસીકતાના રોગોને બહાર પાડે છે. સાહજિક રીતે ભારતભરના દર્શકોએ આ ફિલ્મને પસંદ કરી હતી. બોલિવૂડના કેટલાક દિગ્દર્શકોનો ભારતના જુદા જુદા પ્રદેશ અને સંસ્કૃતિને આજના બદલાતા સમયના સંદર્ભમાં દર્શકોની સામે રજૂ કરવાનો નવો એંગલ સફળ નિવડ્યો  છે.  


Tuesday 23 July 2013

ઉજ્વળ ઈતિહાસની સફરે

ઉજ્વળ ઈતિહાસની સફરે

    નાનપણથી જ વડીલોના મોઢેં સાંભળેલા અને ઈતિહાસના પુસ્તકોમાં વાંચેલા વીર છત્રપતિ શિવાજી, શ્રીમંત બાજીરાવ પેશવા, માવળા, મરાઠા સામ્રાજ્યનો  ઈતિહાસ અને સંસ્કૃતિ મારે માટે હંમેશાં પ્રેરણા, સ્ફૂર્તિ અને ગૌરવની અખૂટ સ્ત્રોત રહયા છે. જ્યારે મને ખબર પડી કે પુણેની કોલેજમાં મને પ્રવેશ મળ્યો છે અને મારે પૂણે જવાનું છે ત્યારે મારા ઉત્સાહનો પાર ન રહ્યો. મેં ફટાફટ મોબાઈલ પર ટ્રેન જોઈ, સુરતથી એ દિવસે (ગુરુવાર) રાત્રે 12 વાગ્યાની ટ્રેન હતી. મેં સામાન પેક કર્યો અને નીકળવા માટે તૈયાર!  સદભાગ્યે મને ટ્રેનમાં જગ્યા મળી ગઈ. 8 કલાકનો પ્રવાસ હતો. રાત્રે સૂઈને સવારની પહોરમાં મારી આંખો ખૂલી તો મેં જોયું કે ટ્રેને કરજત સ્ટેશન છોડી દીધું હતું. જૂનનો મહિનો હોવાથી ઝરમરતો વરસાદ ચાલું હતો. અમારી ટ્રેન સહ્યાદ્રિની પર્વતમાળાઓમાંથી પસાર થઈ રહી હતી. આંખોની સામેનું દ્રશ્ય અદભુત હતું કારણ કે વીર અને વાત્સલ્ય રસનું અદભુત સૌંદર્ય સહ્યાદ્રિની પર્વતમાળામાંથી સરી રહ્યું હતું. નિસર્ગ જાણે સહ્યાદ્રિનો અભિષેક કરી રહ્યો હતો, ચો તરફથી ધુમ્મસથી વિંટળાયેલા લીલાછમ પર્વતની ટોચ પરથી એક સાથે વહેતાં ઝરણાં મનને મોહી રહ્યાં હતાં. પર્વતોને કોરીને બનાવેલી ટનલમાંથી પસાર થતી ટ્રેન બેઠાં બેઠાં રોમાંચની રાઈડ કરાવી રહી હતી. અમારી ટ્રેન ભોર ઘાટના ટોચ પર આવેલા ઠંડી હવા ખાવાના સ્થળ તરીકે જાણીતા ખંડાલા હિલ સ્ટેશન પર રોકાઈ. આખે આખું ખંડાલા ભિનાસભર્યા ધુમ્મસથી વિંટળાયેલું હતું. આગળ લોનાવલા ઊતરીને લોકલ ટ્રેન પકડી હું 7:45ની આસપાસ તળેગાંવ પહોંચી ગયો. એક કલાકમાં કોલેજની ફોર્મલિટી પૂરી કરી મેં તળેગાંવથી લોકલ પકડી પુણે તરફ જવા રવાના થયો. મારી સવારી ઈતિહાસનાં ફરી એ જ પાના ઉલથાવવાં આતુર થઈ રહી હતી. શિવાજી નગર પુણે મહાનગરનું મુખ્ય રેલ્વે સ્ટેશન છે. અહીં ઊતરીને હું સ્ટેશનની બહાર આવ્યો. બહાર પીએમટીની બસો હતી, પણ મેં ચાલતાં જ જવાનું નક્કી કર્યું. પૂછતા પૂછતા વીસ મિનિટમાં મારી સામે શનિવાર વાડાનો અભેદ્ય કિલ્લો તેના એજ માન- મરતબા અને પેશવાઈ રૂઆબમાં ઊભો હતો. તેના પ્રાંગણમાં શ્રીમંત બાજીરાવ પહેલાનું પૂતળું તેમની તેજસ્વી મુદ્રામાં ઊભેલુ દેખાય છે. પહેલા બાજીરાવ પેશવાએ આ શનિવાર વાડો બનાવડાવ્યો હતો. શનિવાર વાડાને 950 ફૂટ લાંબી કિલ્લેબંદી છે. તે 1732માં પૂર્ણ રીતે બની ગયો હતો. છત્રપતિ શિવાજી મહારાજના પ્રયાણ પછી આ જ મરાઠા સામ્રાજ્યનું રાજકીય કેન્દ્ર હતું. રણજીત દેસાઈની સ્વામી મેં વાંચી હતી. તેમાં વર્ણવવામાં આવેલી દરેક જગ્યાને શોધતો હું આગળ વધી રહ્યો હતો.  ભવ્ય દિલ્હી દરવાજાથી અંદર પ્રવેશ કરતા જ સામે ભૂતકાળમાં રહેલા મહાલોનો ચોતરો જોવા મળે છે. માધવરાવ માટે બનાવામાં આવેલા હજારી  ફુવાર જોઈને સ્વામીમાં લખાયેલી માધવરાવની સવારનું દ્રશ્ય મારી આંખો સમક્ષ ખૂલી ગયું હતું. અહીં 7 માળના જુદા જુદા ગણેશમહલ, રંગમહલ, હસ્તીદંતમહલ, દિવાન ખાના અને આરસામહલ હતા, જે 1827 માં લાગેલી આગમાં સળગી ગયા હતા. કિલ્લાના 5 દરવાજા મારી સામે હતા. દીવાલો પર દોરેલા મહાભારત અને રામાયણના ચિત્રો આજે નામશેષ છે. હું એક એક મહાલના ચોતરા પર લાગેલા ફલકને વાંચી રહ્યો હતો. શ્રીમંત બાજીરાવ મસ્તાની જેમણે 36થી વધું ચઢાઈઓ કરી હતી અને એક પણ યુદ્ધ હાર્યા ન હતા, થોરલે માધવરાવ અને શૂરવીર રઘુનાથ રાવ જેમની તલવારોથી મુઘલો અને અફઘાની રાજાઓ કાંપતા હતા. હિન્દુસ્તાનનું સ્વરાજ્ય જેમણે માત્ર ટકાવ્યું નહી પણ છેક અટક સુધી તેનો વિસ્તાર કર્યો. એવા પેશવાઓના મહલમાં હું ફરી રહ્યો ત્યારે સ્મરણમાં રહેલો તેમનો ઈતિહાસ ફરી ઉજાગર થતો હતો.

    શનિવાર વાડાની બાજુમા જ છત્રપતિ મહારાજનો લાલ મહાલ હતો. 16 વર્ષની ઉંમરે જેમણે બહામની સલ્તનતનો નાશ કરી સ્વરાજ્યની સ્થાપનાના રણશિંગા ફૂંક્યા. મુઘલોને હંફાવ્યા અને સ્વદેશના લોકોના દટાયેલો આત્મસન્માન અને ગૌરવ જગાવ્યા એવા શ્રી છત્રપતિ શિવાજી મહારાજનો આ મહાલ હતો. મહાલમાં પ્રવેશતાં જ  મોટો હોલ છે. જ્યાં છત્રપતિ શ્રીના રાયગઢના કિલ્લાનું માનચિત્ર છે. ઉપર જતાં, પહેલાં માળે ચિત્રો દ્વારા છત્રપતિના જીવનકાળને બતાવવામાં આવ્યું છે. ત્યાં જ તેમની કેટલીક તલવારો, અને તે સમયના હથિયારો મૂકવામાં આવ્યા છે. ખૂલ્લા હોલમાં માટીથી બનાવેલું તેમના સામ્રાજ્યનું માનચિત્ર જોઈ શકાય છે. આ બધુ જોયા પછી મારી આંખો એ ખીડકીને શોધી રહી હતી જ્યા શિવાજી મહારાજે શાહિસ્તા ખાનની આંગળીઓ કાપી તેનામાં ખોફ ભરી દીધો હતો. અહીંની દરકે જગ્યા ખાસ હતી. મનોમન મહારાજને પ્રણામ કરી હું બહાર નીકળ્યો. તે પછી નજદીકમાં જ આપ્પા બળવંત ચોક છે. જે પુસ્તકોના બજાર તરીકે જાણીતું છે. અહીં બધા જ વિષયોના અને બધા જ પ્રકાશકોના પુસ્તકો મળી રહે છે. તેથી આગળ ચાલતા થોડા અંતરે દગડું શેઠ ગણપતિનું મંદિર છે. ગણપતિ એ પહેલાંથી જ મહારાષ્ટ્ર અને પેશવાઓના આરાધ્ય દૈવત રહ્યા છે. સ્થાપિત થયેલી  વિનાયકની મૂર્તિ જોતાની સાથે તમારુ મન પ્રસન્ન થઈ જાય છે. ગણેશજીની પ્રતિમાને સુવર્ણના અલંકારોથી સજાવવામાં આવી છે.ત્યાંથી ગણેશજીનો આશીર્વાદ લઈ હું તળેગાંવ તરફ પાછો ફર્યો. બીજા દિવસે રહેલા કામો પૂરા કરી, બાકી રહી ગયેલા સ્થળોએ પછીથી જવાની ઈચ્છા સાથે હું ટ્રેનથી સુરત પાછો ફર્યો.                              

Friday 23 November 2012

भगवा

विझता विझता...मावलनार्या

सुर्याचा रंग भगवा आहे..........

जळत्या पानांच्या
ज्वाला भगवा आहेत ..........

गुडुप अंधारात धग धगणारा
विस्तव भगवा आहे.........

............ कारण............

अंधाराच्या गर्भात उद्याचा;
सूर्य भगवा आहे ..........

रिक्त जागेच्या रकान्यात ,
नवबीज सिद्ध आहे .........

नि ठिणगीच्या एका पेट्न्यात
वणवा लुप्त आहे ..........

"तिच ठिणगी आहे मी" .......

અંકુર નો સાદ...

અંકુર નો સાદ...


રુચિકા ઉમર ૧૫ વર્ષ , ૨૦૧૦ ધોરણ ૧૦ માં ભણતી વિદ્યાર્થીની બોર્ડની પરીક્ષાનું પેપર આપીને ઘરે આવે છે; કોઈની સાથે વાત કર્યા વગર એ પોતાના રૂમમાં જઈ દરવાજો બંદ કરી લે છે . ઘણી વારસુધી દરવાજો ખખડાવ્યા છતાય દરવાજો ન ખોલતા દરવાજો તોડવામાં આવે છે . સામેજ પાંખે લટકેલું રુચીકાનું શરીર દેખાય છે. જ્યાં સુસાઈડ નોટ મળતા ગણિત નું પેપર ખરાબ ગયું હોવાનું કારણ બહાર આવ્યું હતું.
રોહન ધોરણ ૧૨ માં અભ્યાસ કરતો વિદ્યાર્થી ગયા વર્ષે એના વર્ગની સપનાના એક તરફી પ્રેમમાં પડ્યો, સપના સામે પ્રેમનો પ્રસ્તાવ મુકતા તેણીએ ના પડી . આ આઘાત રોહનથી સહન ન થતા રોહને જેહ્રીલી દવા ખાઈ પોતાનું જીવન ટુકાવ્યું હતું.
આવા ટીનેજરોની આત્મહત્યાની ઘટનાઓ વર્તમાન પત્રોમાં વાંચવા મળે છે. જીવનથી હરિને કુમળી ઉમરના વિદ્યાર્થીઓ આત્મહત્યા કરવાનું પગલું ભરતા હોય છે.
ચાઈલ્ડ સાયકોલોજીસ્ટ ડોક્ટર અંકુર મહીડા મુજબ
"૧૨ થી ૧૯ વર્ષની કિશોરાવસ્થા એ શારીરિક અને માનસિક પરિવર્તનનો કાળ હોય છે. ત્યારે તીનાજેર પ્રેમની , દુખની, હારની કે કોઈપણ ભાવના ઉચ્ચસ્તરે અનુભવતા હોય છે. મન ઉપર કાબુ ન રેહતા આવા ખોટા નિર્ણયો લેતા હોય છે. આ સ્પર્ધાત્મક યુગમાં માં બાપ પણ પોતાના બાળકો ઉપર વધુ ભણવાનો તાણ નાખતા હોય છે. વિદ્યાર્થીના રસ ને જાન્ય વગર પોતાની ઇચ્છાઓ ટીનેજર ઉપર નાખતા હોય છે, પરીક્ષામાં આવતા માર્ક્સની બીજાના બાળકો સાથે સરખામણી કરે છે , જેથી બાળક નિરાશ થઇ આવું પગલું ભરે છે.
શ્રી કિશોર ભગવાન ભાઈ પટેલ જેમના બે પુત્રો ધો. ૧૦ માં અભ્યાસ કરે છે એમના કહ્યા મુજબ " આજના બાળકો વિશેષત: ટીનેજર્સ ટીવી અને ફિલ્મો તરફ આકર્ષી જતા હોય છે. જેમાં બતાવામાં આવતા દ્રશ્યો બાળ માનસ ઉપર વિપરીત અસર કરે છે, અને તેવો પણ ટીવી માં બતાવ્યા પ્રમાણે વર્તવાનો પ્રયત કરતા હોય છે."
સાયકોલોજીસ્ટ ડોક્ટર અંકુર મહીડા મુજબ " વાલીઓએ એમના બાળકો તરફથી ભણવાની અપેક્ષા કરવી એ ખોટું નથી પણ એ પેહલા પોતાના બાળકની ક્ષમતા, ઉમર સમજવાની અને ધ્યાનમાં લેવાની આવશ્યકતા છે.
યોગેશ પંચાલ , મહિપાલ દુબે, માનસ ચોધરી ધો ૧૦ અને ૧૨ માં અભ્યાસ કરતા ટીનેજર્સ સાથે તેઓ શું અનુભવે છે ?એમના કહ્યા મિજબ એમને બહાર રમવાનું ફરવાનું ગમે છે. કલ્લાકો ફક્ત ક્લાસ માં બેસીને ભણવાનું ગમતું નથી તેમજ મમ્મી, પપ્પા, સબન્ધિઓ બધાજ બોર્ડની પરીક્ષા વિષયે વારંવાર પૂછતાં હોય , એટલે એનો ડર લાગતો હોય છે. ઘણા ને બૌ બધા ક્લાસ માં જવાનું ગમતું નથી અને માનસિક તનાવ અનુભવે છે . એમ એમને કહ્યું. "
વિદ્યાર્થીઓના જવાબ વિષે ડોક્ટર અંકુર મહીડાનો પ્રતિભાવ પૂછતાં એમને જણાવ્યું કે " વધારે ક્લાસ માં જોડાવાથી કે કલ્લાકો બેસીને ભણવાથીજ માત્ર ટીનેજર ભણે એવું નથી એના સિવાય વિવિધ પ્રવૃતિઓ અને કાર્યક્રમો દ્વારા પણ શિક્ષણ આપી શકાય છે. પરીક્ષાનો ડર પેદા કાર્ય સિવાય ટીનેજરને હલાવો અનુભવ કરાવવો જોઈએ જેથી તેવો માનસિક તાણ અનુભવે નહિ."
રાહુલ ગવ્હાને કે જેઓ ગાઇડન્સ અને કાઉન્સેલિંગ નિષ્ણાંત છે એમના કહ્યા મુજબ "ઘણી વખત ટીનેજર્સ વિશેષ કરીને ધોરણ ૧૨ અને કોલેજ ન પેહલા વર્ષ માં ભણતા ટીનેજર્સ એકતરફી પ્રેમમાં પડે અને એ અસફળ થતા નિરાશા અને એકલતામાં સરી પડે છે.. ચીચી કરાવી ઘુસ્સો કરવો, અનિયમિતતા એની દિનચર્યામાં જોવા મળે છે. અને જયારે આ નિરાશા વધી જાય ત્યારે એ ટીનેજર આત્મહત્યાન માર્ગ તરફ દોરાય છે."
વિદ્યાર્થીઓ આં પગલું ન ભરે અને પોતાનું શૈક્ષણિક જીવન સફળ બનાવી શકે તે માટે શું કરવું એમ પુછાતા એમને જણાવ્યું કે " માં બાપએ આ ઉમર માં પોતાનું બાળક આવતાજ તેની સાથે મૈત્રીપૂર્વક વ્યવહાર કેળવવો જોઈએ એમના સ્કુલ માં માર્ગદર્શન અને કાઉન્સેલિંગ મળી રહે એવી વ્યવસ્થા કરાવી જોઈએ મૈત્રી પૂર્વક વ્યવહારથી વાલીઓ પોતાના ટીનેજર ને ઓળખી, જણી શકે. બાળકોને રસ હોય એવા ક્ષેત્ર માં આગળ વધવાની એમના પ્રેરણા આપવી જોઈએ, પરીક્ષાના માર્ક્સ ની સરખામણી ન કરાવી જોઈએ. માર્ગદર્શન અને કાઉન્સેલિંગ દ્વારા ટીનેજર માં થતા શારીરિક અને માનસિક બદલાવ વિષે માહિતી પૂરી પડાવી જોઈએ. તેનો આત્મ વિશ્વાસ વધે એવો સંવાદ રાખવો શિક્ષણ સિવાય એને રસ પડે એવા વર્ગો માં જોડવા દેવું અને સૌથી મહત્વનું એકે બધાએ બાળકમાં હમેશા કોઈપણ પરિસ્થિતિમાં વિશ્વાસ દાખવવો ખુબજ મહત્વનું છે; જેથી એ એવી પરિસ્થિતિ માં ટૂટી ન જાય એની સાથે હળવું વાતાવરણ અને વર્તન રાખવું ."
આમ બાળકને સમજી તેનો રસ, ક્ષમતા,ઉમર જણી એ અનુસાર એને વાતાવરણ પૂરું પડવું જેથી એ પોતાની ક્ષમતા સાથે ખીલી શકે અને પ્રસરી, વિકસી શકે.. આખરે દરેક બાળક આવતી કાલ નું ભવિષ્ય છે. અને દરેક બાળક ખાસ છે. ભવિષ્યના તારલાઓ ચમકવા ત્યાર થઇ રહ્યા છે બસ કેટલીક બાબતોનું આપણને ધ્યાન રાખવું જરૂરી છે.

Thursday 15 March 2012

प्रेम

माझ पाहिलं प्रेम !  काय  सांगू... कस  सांगू ...
ओसंडून  वाहणाऱ्या  झर्याच  म्हणन  कस  मांडू ,
एकाच  रंगाचा  इंद्रणु  कसा  सांगु ,
राव !  विणा शब्दांच्या  भाषेला लिहु तरी कसा!
तीआणि मी मधल्या  "ई" ईश्वराला  कसा  दाखवु
माझ्या आयुष्यातल्या  त्या  युगांना  थोड्या  शब्दात कसा  मांडू  ! 
"हृदयातली  ती कि  तीच  हृदय, समजवता  येत  नाहीये . 
त्या  क्षणांचा  अर्थ  तिलाही  कळला  नाहीये आणि  मलाही  समाजला  नाहीये ,
  कळल्याने’  ती  गेली  आणि  ‘  कळल्याने मी  आहे ,
दोघातल    कळण  तसच  उलगडायच  बाकी  आहे . 
माझ  पाहिलं  प्रेम ... कळलेलं   ,   कळलेलं   , हा  हा  हा ..
दोघंही  आहे माझ  पाहिलं  प्रेम .
4/2011

गलबल्यात ती दोघेही...

गलबल्यात ती दोघेही नजरेनं चोरुन बघू म्हणत
एकमेकाला पाहु लागतात
दोघांना कळते भाषा
एकमेकांच्या मनातील अधीर अभिलाषा
स्तब्ध नजर खिळून रहाते मग एकाएकीच हटवतात
दोघे एकमेकांना जेव्हा पाहतांना रंगे हात पकडतात.
जेव्हाही जाताना वेगळे होत असतो
ती काही अधिकच सहज होत असते, बोलत माझ्याशी बिछडताना,
जणू कुणाला संशय न जावा, आतून तिच्या अधीर होण्याचा
हे सांगतात तिच डोळे,
वारंवार लवलवणार्‍या पापण्या,
सैरभैर चेहरा नी
शेवटी
जेव्हा तिचा हात घेतो हातात तेव्हा
त्या कंपनांशी जुळताना
तुझ्या
10/10/09



एक बिंदु नो

भले छे धरती ने सागर पण वरसाद एने जोशे एक बिंदु नो!
छे आकाश मोकालू पण पण रंग जोशे रंगवा एक बिन्दुनो!
नदी छे छालोछल पण एने प्रवाह जोशे एक बिंदु नो !
शब्दों छे हजारो ने भाषा घनी, व्यक्त करावा जोशे भाव एक बिंदु नो !
समाप्ति ना पूर्ण विरामने आशय जोशे एक बिन्दुनो !